Ahmedabad: કલ્યાણપુષ્ટી હવેલીમાં રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી, ભક્તોની ભારે ભીડ

|

Mar 18, 2022 | 5:36 PM

મંદિરમાં ઠાકોરજીને અલગ અલગ સમયે અલગ પરિવેશ પહેરાવવામાં આવશે. તેમજ ઠાકોરજીને ગર્ભગૃહમાં અબીલ અને ગુલાલ કેસુડાં અને ચંદનથી રમાડવામાં આવશે. ઠાકોરજીને અલગ અલગ ચાર ખેલ ખેલવવામાં આવશે. જેનો વૈષ્ણવ સંપ્રદાયના લોકો લાભ લેશે.

અમદાવાદના કલ્યાણપુષ્ટી હવેલીમાં(Kalyan Pushti Haveli)  રંગોના પર્વની કરાઈ(Rangotsav)  ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધુળેટીના(Dhuleti)  દિવસે ઠાકોરજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં અલગ-અલગ ફૂલ, પાન અને દ્રાક્ષનું ડેકોરેશન કરાયું હતું. સાથે ભક્તો હોળી તિલક પણ રમ્યા હતા. જયારે ભજન મંડળી દ્વારા ઠાકોરજીના કીર્તન આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. કલ્યાણપુષ્ટી હવેલીમાં ઠાકોરજી સંગ હોળી પર્વની ઉજવણી લઇને જણાવવામાં આવ્યું હતું. મંદિરમાં ઠાકોરજીને અલગ અલગ સમયે અલગ પરિવેશ પહેરાવવામાં આવશે. તેમજ ઠાકોરજીને ગર્ભગૃહમાં અબીલ અને ગુલાલ કેસુડાં અને ચંદનથી રમાડવામાં આવશે. ઠાકોરજીને અલગ અલગ ચાર ખેલ ખેલવવામાં આવશે. જેનો વૈષ્ણવ સંપ્રદાયના લોકો લાભ લેશે.

ધુળેટી પર્વ નિમિત્તે રાજ્યના મંદિરોમાં રંગોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ.. ભગવાનોને રંગો સહિત અનોખા શણગાર કરવામાં આવ્યા..બોટાદમાં સાળંગપુરમાં હનુમાનજીના સાનિધ્યમાં 2 હજાર કિલોથી વધુ રંગનો વારાફરતી બ્લાસ્ટ કરાયો. જ્યારે ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઠાકોરજીના દર્શને ઉમટી પડ્યા. આતરફ દ્વારકામાં શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશ સાથે રંગોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવ્યો.. તો બીજીતરફ અમદાવાદમાં કલ્યાણપુષ્ટી હવેલીમાં ઠાકોરજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો. જ્યારે ભુજ સ્થિત મણીનગર ગાદી સંસ્થાન મંદિરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. અહીં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી

આ પણ વાંચો : પોરબંદરના કડછ ગામે ધૂળેટી પર્વની ગ્રામજનો દ્વારા 750 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી

આ પણ વાંચો : Kutch: રંગોના પર્વમાં રંગાયા સંતો-હરિભક્તો, ભુજ સ્વામીનારાયણ મંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો !

Published On - 5:34 pm, Fri, 18 March 22

Next Video