Jamnagar: ભારે વરસાદ બાદ જિલ્લાના ડેમમાં પાણીની સારી આવક, સસોઇ ડેમ છલોછલ

|

Sep 16, 2022 | 8:00 AM

સાર્વત્રિક વરસાદના (Rain) કારણે જામનગર (Jamnagar) જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. સસોઇ ડેમ છલોછલ થઇ ગયો છે.

જામનગરમાં (Jamnagar) છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જામનગર જિલ્લામાં સાર્વજનિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ સહિતના ગામમાં વરસાદ (Rain) પડ્યો. જ્યારે ઉમરાળા, શિસાંગ સહિત અનેક ગામોમાં વહેલી સવાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. તો સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની ભારે આવક થઇ છે. સસોઇ ડેમ (Sasoi Dam) છલોછલ થઇ ગયો છે.

સસોઇ ડેમ છલોછલ

જામનગર શહેર સહિત 10 ગામને પીવાનું પાણી પુરુ પાડતો સસોઈ ડેમ છલોછલ થયો છે. છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. સસોઈ ડેમ 22 ફુટની સપાટીએ ઓવરફલો થયો છે. જામનગર અને લાલપુર તાલુકાના 15 ગામને 1 સિંચાઈનુ પાણી પૂરુ પાડશે. તો 10 ગામને 1 વર્ષ સુધી પીવાનું પાણી મળી રહેશે. લાંબા સમય બાદ ડેમ છલકાતાં શહેરીજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. બીજી તરફ જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ 88 ટકા ભરાઇ ગયો છે. રણજીતસાગર ડેમમાં 25 ફૂટની સપાટી સુધી પાણી ભરાઇ ગયુ છે. તથા આગામી સમયમાં વરસાદની આગાહીના પગલે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.

રાજ્યના ડેમોમાં પાણીની સારી આવક

ધોધમાર વરસાદના કારણે હવે ગુજરાતમાં પાણીની ચિંતા દૂર થઈ છે. રાજ્યના જળાશયોમાં પાણીની ધમધોકાર આવક થઇ છે. જેને કારણે ખેડૂતો સારી રીતે પાક લઈ શકશે. શિયાળુ પાકમાં પણ ફાયદો થશે, તો લોકોને પણ પાણી માટે વલખા મારવા નહીં પડે. ડેમની વાત કરીએ તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. તો ભાદર અને કડાણા ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જામનગરના ઊંડ-2, ધરોઇ અને ઉકાઇ ડેમમાં પણ સારા પ્રમાણમાં પાણી ભરાયું છે. તો કાળુભાર ડેમ અને ધાતરવાડી ડેમ પણ ઓવરફ્લો થયા છે. જે બતાવે છે કે ગુજરાતને જળની ચિંતા હવે નહીં સતાવે.

Next Video