ઝૂલતા પુલ દુર્ઘટના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી, કહ્યુ-હાથે કરીને માર્યા નથી

|

Dec 12, 2023 | 8:55 PM

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ છે. જેમાં જયસુખ પટેલે યોગ્ય શરત પર નિયમિત જામીન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. જયસુખ પટેલે કોર્ટમાં કહ્યુ છે કે, મે કોઈને હાથે કરીને માર્યા નથી સેવા કરવા માટે જ પ્રોજેક્ટ લીધો હતો. સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરનાર છે.

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના આરોપી જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યુ છે તે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. આરોપી જયસુખ પટેલે સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યુ હતુ કે, મેં કોઈને હાથે કરીને માર્યા નથી. મે લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હોવાનુ કહ્યુ હતુ. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.

સરકાર આવતીકાલે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરનાર છે. આ તરફ મૃતકોના પરિવારજનોએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચોઃ ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:54 pm, Tue, 12 December 23

Next Video