Gujarati Video : લો બોલો જામનગર મનપાએ રખડતા ઢોરને દૂર કરવા રસ્તા પર તૈનાત કર્યા કર્મચારીઓ, જુઓ Video

જામનગર શહેરના મુખ્ય માર્ગો પરના 29 સ્થળોએ મનપાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. જે લાકડી સાથે મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 2:04 PM

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત જોવા મળે છે. જેના પગલે જામનગર મનપાએ રખડતા ઢોરની સમસ્યાનો કામચલાઉ ઉકેલ શોધી કાઢ્યો છે. જામનગર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દૂર કરવા ખાસ માણસોને ફરજ પર મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગો પરના 29 સ્થળોએ મનપાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. જેઓ લાકડી સાથે મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી કરશે.

આ પણ વાંચો : Jamnagar : કૃષિમંત્રીએ લતીપુરમાં પશુપાલન શિબિરનો કરાવ્યો પ્રારંભ, નવા 13 પશુ દવાખાના શરુ કરવાની જાહેરાત

આ સિવાય શહેરના અન્ય 20 સ્થળ પર ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આમ શહેરના મુખ્ય માર્ગો પરના 49 સ્થળ પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તૈનાત કરેલા માણસો સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી ફરજ બજાવશે. જે માટે તેમને દૈનિક રૂપિયા 452નું વેતન ચૂકવવામાં આવશે.

અમદાવાદમાં રખડતા ઢોર મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. જેમા ઢોર પકડવાના ખર્ચની સામે કામગીરી નહિવત હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. ઢોર પકડનાર ટીમ પાછળ એક મહિનામાં 35થી40 લાખનો ખર્ચ થયા હતો. એક દિવસમાં 10 ફરિયાદની સામે 65 જેટલા ઢોર પકડાય હતા. ઢોર પકડતી 21 ટીમમાં દરેક ટીમમાં પાંચથી સાત વાહનો હતા. આટલા મોટા પાયે સુવિધા હોવા છતા યોગ્ય કામગીરી ન થતી હોવાનું AMCના ધ્યાને આવ્યુ હતું.

Follow Us:
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
g clip-path="url(#clip0_868_265)">