વેરાવળના ડૉ.અતુલ ચગ આપઘાત કેસમાં આજે ડો.ચગના પુત્રની કંટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી પર ચુકાદો આવશે. જસ્ટિસ શાસ્ત્રીની બેંચ આજે ચુકાદો સંભળાવશે. ગત સુનાવણી દરમિયાન દલીલોના અંતે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. તો સામે પક્ષે પોલીસે સુનાવણી દરમિયાન અરજી ટકવા પાત્ર ન હોવાની દલીલ કરવામાં આવી હતી. પોલીસની દલીલ હતી કે SCના હુકમના ભંગનો આરોપ હોય તો SCમાં જ અરજી કરવી પડે.
આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી છે. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા હતો. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…