છોટા ઉદેપુર જિલ્લાના ગામમાં જળ જીવન મિશન યોજના નિરર્થક લાગી રહી છે કારણ કે ભર ઉનાળે ગ્રામજનોની ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે અને લોકોને પાણી માટે રીતસર વલખાં મારવા પડે છે. છોટા ઉદેપુરના હરિપુરા ગામમાં બોર છે પરંતુ તેમાં પાણી નથી. અને ગામમાં આપવામાં આવેલા નળમાં પાણી ન આવતા મહિલાઓ બાળકો અને પુરૂષોને કેટલાય કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે.
બાળકોથી લઈને મહિલા અને પુરૂષો બધા બેડા લઈને પાણી ભરવા નીકળી પડે છે. વળી ગામના હેન્ડ પંપમાં જે પાણી આવે છે તેમાંથી માંડ માંડ પાણી આવતું હોવાથી પાણી લેવા માટે ગ્રામિણોને ભારે જહેમત ઉઠાવવી પડે છે.
ઉપરાંત છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કોઠીયા, ચામેઠા, કાકડિયા અને અન્ય ગામના ખેડૂતો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી નર્મદાની માઈનોર કેનાલામાં સિંચાઈનું પાણી આવવાનું અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું છે. સિંચાઈનું પાણી બંધ થઈ જવાથી ખેડૂતો મગ, મઠ, દિવેલા અને મકાઈના પાક સુકાઈ જવાની ભીતિ સર્જાઈ છે. જો બે દિવસમાં સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:53 pm, Fri, 28 April 23