Gujarati Video: ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસ- સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે કરી અરજી, 1 જૂને થશે સુનાવણી

Gir Somnath: ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે અરજી કરી છે. વેરાવળની કોર્ટમાં આગતોરા જામીન માટેની અરજી મુકી છે. આ અંગે 1 જુને સુનાવણી થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:59 PM

Gir Somnath: ગીરસોમનાથના નામાંકિત તબીબ ડૉ અતુલ ચગના આત્મહત્યા કેસમાં તબીબના પુત્રએ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ડૉ અતુલ ચગના પુત્રએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમના પિતાના પૈસા સાંસદના પિતાએ પરત ન કરતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ સમગ્ર કેસમાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સાંસદના પિતાએ આગોતરા જામીન માટે વેરાવળ કોર્ટમાં અરજી કરી છે. આ અંગે 1 જૂને સુનાવણી હાથ ધરાશે.

અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા સામે નોંધાઈ છે ફરિયાદ

આપને જણાવી દઈએ કે વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કર્યો હતો કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠ્ઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Breaking News: વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો નોંધાયો, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ

સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ડૉ. ચગના પુત્ર હિતાર્થ ચગે અરજી કરી હતી. જોકે ફરિયાદ ન લેવા બાબતે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી. જોકે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ જાય તે પહેલા જ ફરિયાદ નોંધાઈ છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">