Gujarati Video: મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડી, કરોડો રૂપિયાની લાલચ આપી ખંખેર્યા

|

Sep 13, 2023 | 11:32 PM

Mahi Sagar: મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો. પુત્રની તકલિફ દૂર કરવા ભૂવા પાસે ગયેલા પિતાને તાત્રિકે છેતરી લીધા છે. વિધિ કરવીના બહાને તાત્રિકે 3 લાખ રૂપિયા ખંખેર્યા છે. કરોડો રૂપિયા મળશે તેમ કહી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

Mahisagar: ગમે તેટલી જાગૃતિની વાતો થાય, છતાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા રહે છે. મહીસાગર સંતરામપુરમાં ઢોંગી તાંત્રિકનો પર્દાફાશ થયો. પુત્રની તકલીફ દૂર કરવા માટે ભૂવા પાસે ગયેલા પિતાના તાંત્રિકે છેતર્યા. દુઃખ દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ કહીને તાંત્રિકે 3 લાખ રૂપિયા પડાવ્યા. સાથે તાંત્રિકે કહ્યું કે ત્રણ લાખ રૂપિયામાં વિધિ કરવાથી કરોડો રૂપિયા મળશે.

આ પણ વાંચો:  Gandhinagar : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GSTનું સુધારા વિધેયક વિધાનસભામાં પાસ, કોંગ્રેસ-AAPએ ઓનલાઈન જુગારને અધિકૃત મંજૂરીના કર્યા આક્ષેપ

સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે રૂપિયાની લેવડદેવડ થઈ હતી. ભોગ બનેલા પિતાએ રૂપિયા પરત માગ્યા તો તાંત્રિકે મારી નાંખવાની આપી ધમકી. કરોડો રૂપિયાની લાલચ આપી ભૂવાએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા છે. પિતાએ હાલ ઢોંગી તાંત્રિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 11:32 pm, Wed, 13 September 23

Next Video