Mahisagar: ગમે તેટલી જાગૃતિની વાતો થાય, છતાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા રહે છે. મહીસાગર સંતરામપુરમાં ઢોંગી તાંત્રિકનો પર્દાફાશ થયો. પુત્રની તકલીફ દૂર કરવા માટે ભૂવા પાસે ગયેલા પિતાના તાંત્રિકે છેતર્યા. દુઃખ દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ કહીને તાંત્રિકે 3 લાખ રૂપિયા પડાવ્યા. સાથે તાંત્રિકે કહ્યું કે ત્રણ લાખ રૂપિયામાં વિધિ કરવાથી કરોડો રૂપિયા મળશે.
સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે રૂપિયાની લેવડદેવડ થઈ હતી. ભોગ બનેલા પિતાએ રૂપિયા પરત માગ્યા તો તાંત્રિકે મારી નાંખવાની આપી ધમકી. કરોડો રૂપિયાની લાલચ આપી ભૂવાએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા છે. પિતાએ હાલ ઢોંગી તાંત્રિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:32 pm, Wed, 13 September 23