Gujarati Video : નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો, તિલકવાડામાં સર્જાઈ અવ્યવસ્થા

|

Mar 26, 2023 | 8:48 AM

દર ચૈત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉતરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામા તિલકવાડાથી નદી પાર કરવા શ્રદ્ધાળુઓની પડાપડી કરતા જોવા મળી રહી છે. ધાર્યા કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ છે.

વિશ્વમાં નર્મદા નદી જ માત્ર એક એવી નદી છે, જેની વિધીવત પરિક્રમા યુગોથી કરવામાં આવે છે. આ વખતે નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દર ચૈત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉતરવાહીની નર્મદા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામા તિલકવાડાથી નદી પાર કરવા શ્રદ્ધાળુઓની પડાપડી કરતા જોવા મળી રહી છે. ધાર્યા કરતા શ્રધ્ધાળુઓની સંખ્યા વધી જતાં અવ્યવસ્થા સર્જાઈ છે. રામપુરાથી તિલકવાડા થઈને ફરી રામપુરા સુધી આ પરિક્રમા કરવાની હોય છે. જોકે તંત્ર દ્વારા અહીં નાવડીઓની વ્યવસ્થા કરી છે, પણ શ્રધ્ધાળુઓની સંખ્યા સામે નાવડીની સંખ્યા ઓછી હોવાને કારણે અવ્યવસ્થા સર્જાઈ છે.

આ પણ વાંચો : Breaking News: નર્મદાના કેવડિયામાં આવ્યો ભૂકંપ, બપોરે 3.40 કલાકે અનુભવાયા આંચકા

11 વર્ષીય પિયુષે કરી નર્મદા પરિક્રમા

મધ્યપ્રદેશનો રહેવાસી 11 વર્ષીય પિયુષે તેમના દાદા-દાદી સાથે પરિક્રમાની શરુઆત કરી હતી. નર્મદા પરિક્રમામા તે તેના દાદ-દાદીનો સહારો બન્યો હતો. પરિક્રમાની શરુઆત પિયુષે તેના દાદા-દાદી સાથે કરી હતી. તેને ઓમકારેશ્વરથી નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી હતી. જે લગભગ 3,600 કિલોમીટર અત્યંત કઠોર પરિક્રમા છે. પિયુષ ધોરણ- 5માં અભ્યાસ કરે છે જ્યારે તે તેના શાળા શિક્ષક પાસે રજાની માગણી કરવામાં આવી તે સમય પહેલા તો શિક્ષક મુંઝવણમાં પડ્યા હતાં, પરંતુ પિયુષના આત્મ વિશ્વાસને જોઇને તેને 3 મહિનાથી રજા આપી હતી.

Published On - 8:42 am, Sun, 26 March 23

Next Video