Gujarati Video : ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક મનિશ દોશીએ બહાર પાડ્યું

Gujarati Video : ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક મનિશ દોશીએ બહાર પાડ્યું

| Edited By: | Updated on: May 23, 2023 | 8:51 AM

જેમાં વાલી, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, લોનની વિગતોનો ઉલ્લેખ છે. તો ખોટી સંસ્થાઓ કેવી રીતે ઓળખવી તે અંગેની વિગતો પણ સામેલ છે.આ પુસ્તકની બે લાખથી વધુ કોપી વિદ્યાર્થીઓને વોટસએપથી મળશે.

ગુજરાતના ધોરણ 10 અને 12 બાદ સ્ટુડન્ટે કયો અભ્યાસક્રમ પસંદ કરવો તે અંગે સચોટ માર્ગદર્શન આપતું એક પુસ્તક મનિશ દોશીએ બહાર પાડ્યું છે. જેમાં 150થી વધુ અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી છે..જેમાં વાલી, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, લોનની વિગતોનો ઉલ્લેખ છે. તો ખોટી સંસ્થાઓ કેવી રીતે ઓળખવી તે અંગેની વિગતો પણ સામેલ છે.આ પુસ્તકની બે લાખથી વધુ કોપી વિદ્યાર્થીઓને વોટસએપથી મળશે.

વાલી-વિદ્યાર્થીઓ અથાક મહેનત-પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે

કારકિર્દીના ઊંબરે” ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જીવનમાં ઉત્તમ કારકિર્દી માટેના મહત્વના ધોરણ-10  અને 12માં પરીક્ષામાં સફળતા મેળવનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું.  ગુજરાતના વાલી-વિદ્યાર્થીઓ અથાક મહેનત-પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે