મોદી સરનેમને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંભળાવાયેલી બે વર્ષની સજા પર સ્ટેની અરજીને સેશન્સ કોર્ટે ફગાવી છે. ત્યારે ફરિયાદી પૂર્ણેશ મોદીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે આ સામાજિક અપમાનનો મુદ્દો છે. ન્યાયપાલિકાની કાર્યવાહીને આવકારીએ છીએ. જે કંઈ કેસ હતો તે મેરિટ પર અમે સાબિત કર્યો છે. આ સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા છે અને તે કોર્ટમાં થઈ રહી છે.
કોંગ્રેસના હાઈકોર્ટમાં જવા મુદ્દે પૂર્ણેશ મોદીએ જણાવ્યુ કે જે કંઈપણ આગળની કાર્યવાહી છે તે કરી શકે છે. સમગ્ર સમાજનું અપમાન નથી. રાહુલ ગાંધીએ નિરવ મોદી, લલિત મોદી અને વડાપ્રધાનને ધ્યાનમાં રાખીને ટિપ્પણી કરી હતી. આ મુદ્દે પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતુ કે સબજ્યુડિશ્યલ મેટર છે જેમા કોર્ટનો ચુકાદો પણ આવી ચુક્યો છે અને કોંગ્રેસના દાવા અંગે તેઓ કંઈપણ કહેવા માગતા નથી. માત્રને માત્ર તેઓ આ સામાજિક લડત લઈને ચાલ્યા છે જેમા હાલ તેમને સફળતા મળી છે.
આ તરફ કોંગ્રેસ નૈતા નૈષધ દેસાઈએ જણાવ્યુ કે બદનક્ષીના કેસમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. શબ્દોની માનહાનિ વ્યક્તિ પર થયેલી હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીમાં મોદી સમાજની, મોદી સરનેમની કે OBC સમાજની કોઈ ટીકા ન હતી. ટીકા માત્ર વડાપ્રધાન પર કરવામાં આવી હતી અને તે પણ જાહેર રેલી દરમિયાન કરેલી હતી. વધુમાં નૈષધ દેસાઈએ જણાવ્યુ કે શબ્દોની બદનક્ષી પર આજ સુધી દુનિયાની કોઈ અદાલતે બે વર્ષની સજા ફટકારી નથી.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 4:10 pm, Thu, 20 April 23