Gujarat Video: પાકિસ્તાનની જેલમાં કેદ 666 માછીમારોના પરિવારોની સ્થિતિ બની કફોડી, પાંચ વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પાછા ન આવતા ખુટી રહી છે ધીરજ

Gir Somnath: પાંચ પાંચ વર્ષ વીત્યા બાદ પણ પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતી માછીમારોને મુક્ત ન કરાતા હવે પરિવારોની ધીરજ ખુટી રહી છે. તેમના સ્વજનો જીવિત છે કે નહીં તેને લઈને પણ હવે તેઓ હિંમત ખોઈ રહ્યા છે. આ અંગે અનેકવાર તેઓ સરકારને રજૂઆત કરી ચુક્યા છે કે પાકિસ્તાને બંધક બનાવેલા તેમના સ્વજનોને પાછા લાવવામાં મદદ કરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 10:21 AM

દરિયો ખેડનારા માછીમારો સાહસિક હોય છે સાથોસાથ તેમનુ મનોબળ પણ મક્કમ હોય છે. ગીરસોમનાથના આવા અનેક માછીમાર પરિવારો હાલ દુ:ખી છે. છેલ્લા 5-5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં તેમના સ્વજનો કેદ છે અને અશ્રુભીની આંખો સાથે તેઓ સ્વજનો પાછા આવે તેની રાહ જોઈ રહ્યા છે. દિવસે દિવસે સ્થિતિ વધુ કપરી બની રહી છે. ઘરના મોભી જ ઘરમાં ન હોવાથી ગુજરાન ચલાવવુ મુશ્કેલ બને છે અને આર્થિક સ્થિતિ કંગાળ બને છે. આવા 666 પરિવારો પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનો પાછા આવી તેવી સરકાર પાસે યાચના કરી રહ્યા છે.

પાકિસ્તાનની જેલમાં પાંચ વર્ષથી કેદ છે 666 ગુજરાતી માછીમારો

માછીમાર પરિવારોની સ્થિતિ દિવસે દિવસે વધુ કફોડી બની રહી છે. તેમને એ પણ ખબર નથી કે પાકિસ્તાનની જેલમાં કેદ તેમનુ સ્વજન કઈ હાલતમાં છે. તે જીવિત છે કે નહીં તે પણ તેઓ જાણતા નથી. તેમની પાસે એકમાત્ર આશા અને ભગવાન પરનો ભરોસો જ જીવિત છે કે એક દિવસ તેમનુ સ્વજન જરૂર પરત આવશે.

આ પીડા માત્ર એક-બે માછી પરિવારની નથી. આ પીડા, આ વિયોગ, આ વેદના 666 પરિવારોની છે. અનેકવાર સરકારોને રજૂઆત કરી કરીને હવે તેઓ થાક્યા છે. તેમના સ્વજનને યાદ કરતા તેમની આંખો ભીની થયા વિના રહેતી નથી. તેઓ બસ એક જ માગ કરી રહ્યા છે કે સરકાર પાકિસ્તાનની જેલમાં કેદ તેમના સ્વજનને મુક્ત કરાવે.

આ પણ વાંચો: Gujarat Video : ઈન્ડીયન નેવીનું મધદરિયે દિલધડક બચાવ અભિયાન, માછીમારોનો કબજો મરીન પોલીસને સોંપ્યો

ગીરસોમનાથ જિલ્લાના 400 માછીમારો પાકિસ્તાનમાં કેદ

કુલ 666 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે જેમા 400 જેટલા ગીરસોમનાથ જિલ્લાના છે. ઘરનો મોભી જ પાકિસ્તાનમાં કેદી બની જતા આ લોકોને ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યુ છે. આર્થિક રીતે આ પરિવારો ભાંગી પડ્યા છે. સરકાર દ્વારા કેટલાક માછીમાર પરિવારોને સહાય આપવામાં આવે છે. પરંતુ એ સહાયરાશિ એટલી નથી હોતી કે તેમા ગુજરાન ચાલી શકે. મજબુરીમાં અને આર્થિક બદહાલીને કારણે તેમના સંતાનોને ભણવાનુ પણ છોડી દેવુ પડે છે.

ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી- ગીર સોમનાથ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
g clip-path="url(#clip0_868_265)">