રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આ માટે થઈને વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. અંતિમ દશ દિવસ દરમિયાન ગુજરાતમાં 71 જેટલા ગુનાઓ વ્યાજખોરો સામે નોંધવામાં આવી છે. જેમાં 43 જેટલા વ્યાજખોર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું લો એન્ડ ઓર્ડરના DIG એ કહ્યું હતું.
ગુજરાત પોલીસના લો એન્ડ ઓર્ડરના DIG દિપક મેઘાણીએ એ કહ્યું હતુ કે, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે પોલીસની કાર્યવાહી જારી રહેશે. વ્યાજખોરો મજબૂર લોકો સામે જે રીતે વર્તન વ્યવહાર કરે છે અને વ્યાજના ચક્કરમાં ફસાવે છે, તેને લઈ આવા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે બેંક અને સહકારી સંસ્થાઓની મદદ વડે જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે. DIG એ કહ્યું હતુ કે, બેંકિંગ સેક્ટરની પણ આ માટે મદદ લેવામાં આવી રહી છે.