Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત અંગેનું વિધેયક તૈયાર, 15 સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરાશે

Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત અંગેનું વિધેયક તૈયાર, 15 સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરાશે

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 12, 2023 | 4:22 PM

27 ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયાર થઈ ગયું છે. મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક તૈયાર કરાયું છે. 15 સપ્ટેમ્બરે આ વિધેયકને કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતને (OBC reservation) લઈ મહત્વના સમાચાર છે.  27 ટકા ઓબીસી અનામતનું વિધેયક તૈયાર થઈ ગયું છે. મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક તૈયાર કરાયું છે. 15 સપ્ટેમ્બરે આ વિધેયકને કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

આ પણ વાંચો-Breaking News : G20 કાર્યક્રમ બાદ ગુજરાતમાં પણ પહેલ, ઇ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રોપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’ લખાયું

વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">