AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઇ, જાણો શું છે કારણ

બીજી તરફ પાટણના AAP ના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે FIR નોંધાવી છે. AAPના ઉમેદવાર લાલેશ ઠક્કર સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવતા હોવાનો આક્ષેપ છે. જેના પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

Gujarat Election 2022: કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઇ, જાણો શું છે કારણ
કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે નોંધાવી ફરિયાદ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 2:04 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓનો બફાટ પણ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે પાટણના કોંગ્રેસ ઉમેદવાર સામે અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ કરી છે. રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમયમાં કિરીટ પટેલે સભા કરતા નોડલ ઓફિસરે કાર્યવાહી કરી છે.

બીજી તરફ પાટણના AAP ના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે FIR નોંધાવી છે. AAPના ઉમેદવાર લાલેશ ઠક્કર સમાજમાં વર્ગ વિગ્રહ ફેલાવતા હોવાનો આક્ષેપ છે. જેના પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે પોલીસ ફરીયાદ નોંધાવી છે. કિરીટ પટેલના નામે ખોટી પોસ્ટ વાયરલ કરી સમાજમાં ખોટો ભ્રમ પેદા કરતા હોય તેવો AAPના ઉમેદવાર સામે આરોપ છે. કિરીટ પટેલના નામે ઠાકોર સમાજના મતદારો વહેંચાઇ જાય છે તે પ્રકારના સમાચારપત્રનો ફોટો વાયરલ થયો હતો. જે ફોટો AAPના ઉમેદવાર લાલેશ ઠાકોરે કર્યો હોય તેવો દાવો થઈ રહ્યો છે.

તો આ તરફ વડોદરાના જરોદ ગામે જાહેર સભાને સંબોધતા મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વાણી પર કાબૂ ગુમાવ્યો છે. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માટે મધુ શ્રીવાસ્તવે અભદ્ર ટિપ્પણી કરી હતી. વિવાદિત નિવેદન આપતા કહ્યું- 7 નંબર પર બટન દબાવજો. 6 નંબરનો ઉમેદવાર કેવો છે તે આપ જાણો છો એટલે તેમને મત આપતા નહીં. અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી ક્રમાંક છ નંબર છે. મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ચૂંટણી પહેલા બે કોંગી ઉમેદવારો સામે પણ ફરિયાદ

તો આ તરફ કોંગ્રેસના દરિયાપુરના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની પણ મુશ્કેલી વધી શકે છે, કારણ કે મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ છે કે તેમના વિસ્તારમાં વહેંચેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ ન દર્શાવતા ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી છે. તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાજપ દ્વારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સભામાં મહાદેવ-અલ્લાહના નારા લગાવીને તેણે આચારસંહિતાનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">