ગુજરાત ચૂંટણી 2022: સી આર પાટીલે છોટાઉદેપુરની લીધી ઓચિંતી મુલાકાત, તમામ બેઠકોના ઉમેદવારો સાથે કરી ચૂંટણીલક્ષી ચર્ચા

ગુજરાત ચૂંટણી 2022: સી આર પાટીલે છોટાઉદેપુરની લીધી ઓચિંતી મુલાકાત, તમામ બેઠકોના ઉમેદવારો સાથે કરી ચૂંટણીલક્ષી ચર્ચા

| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:18 PM

Gujarat Election 2022: રાજ્યમાં બીજા ચરણના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર. પાટીલે અચાનક છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 5મી ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠક પર મતદાન યોજાવાનું છે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અચાનક છોટા ઉદેપુરના ભાજપ જિલ્લા કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે કાર્યકર્તા અને સ્થાનિક નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી તો પ્રથમ તબક્કાના મતદાન અંગે તેમણે કહ્યું કે 2017 કરતા કુલ મત વધારે પડ્યા છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા, ભાજપ મોટા માર્જીનથી જીતી રહ્યું છે.

આ તકે પાટીલે જણાવ્યુ કે ચૂંટણી હોય અને પાર્ટીના અધ્યક્ષ એ વિસ્તારમાં ન જાય તો પછી ક્યારે જશે. ભાજપના કાર્યકર્તાઓની તૈયારી, એમણે જે રીતે પ્લાનિંગ કર્યુ છે એ પ્લાનિંગ ઉપર છેલ્લુ અવલોકન કરીને એમની પાસેથી કોઈ સૂચન હોય, એટલા માટે આજે અહીં મુલાકાત કરી છે. પાટીલે વધુમાં જણાવ્યુ કે સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભા બેઠકોના ઉમેદવારો સાથે તેમણે મુલાકાત કરી છે. એ જ અનુસંધાને આજે અહીં છોટાઉદેપુરમાં આવ્યા છે, તેમ પાટીલે જણાવ્યુ હતુ.

પ્રથમ તબક્કામાં 2017 કરતા વધારે મત પડ્યા- પાટીલ

પહેલા તબક્કામાં ઓછા મતદાન અંગે સી.આર. પાટીલે જણાવ્યુ કે પહેલા તબક્કામાં થયેલા કુલ મતદાનને જોતા એના કુલ વોટ 2017 કરતા વધારે પડ્યા છે. જેમાં લગભગ 10 લાખ જેટલા મત વધુ પડ્યા છે તેમ પાટીલે જણાવ્યુ હતુ. આદિવાસી બેઠકો પર 10 લાખ વોટ વધુ પડ્યા હોવાનું તેમણે જણાવ્યુ છે. તેના કારણે અમને વિશ્વાસ છે કે ભાજપ મોટી લીડ સાથે અનેક બેઠકો જીતશે.

Published on: Dec 03, 2022 06:17 PM