Gujarat Assembly Election 2022 : જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રાઘવજી પટેલે ઉમેદવારી નોંધાવી
જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપે આજે રાઘવજી પટેલને ટિકિટ ફાળવી છે. તેમણે પાર્ટી તરફથી ફોન આવતા જે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરી સાથે પ્રજા સમક્ષ જવાના છીએ. સી એમ ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે સારી કામગીરી કરી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ભાજપ તેમજ કોંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. જો કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી. બીજી તરફ ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે આજે જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપે આજે રાઘવજી પટેલને ટિકિટ ફાળવી છે. તેમણે પાર્ટી તરફથી ફોન આવતા જે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરી સાથે પ્રજા સમક્ષ જવાના છીએ. સી એમ ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે સારી કામગીરી કરી છે. જેમાં રાજ્યના ખેડૂતોને પાકના સારા ભાવ મળે છે. બિયારણ મળે છે. ઓછા વ્યાજે ધિરાણ મળે છે. આ બધાના લીધે મારી અને સરકારની જીત નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે, જો કે ભાજપમાં ઉમેદવારના નામ જાહેર થતા જ ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. જેમાં તમામ બેઠક પરની ગુંચ ઉકેલાઇ ગઇ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાકી રહેલા 16 ઉમેદવારને ટેલિફોનીક જાણ કરીને મેન્ડેટ આપવામાં આવ્યા છે.