રાજકોટ (Rajkot) ખોડલધામ (khodaldham)ખાતે 21 જાન્યુઆરીએ પાટોત્સવ(Patotsav)યોજાવાનો છે. ત્યારે ખોડલાધામ ખાતે માતાજીના દર્શનાર્થે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આવ્યા હતા અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલે ચમારડીથી ખોડલધામ પદયાત્રાનુ સ્વાગત કર્યું હતું. આ સાથે જ પાટોત્સવની તૈયારીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્રના ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે.ત્યારે 21 જાન્યુઆરી 2022એ ભવ્ય ખોડલ માતાજીના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : વિડીયો : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો હજુ પણ બેદરકાર, કોરોના ગાઇડ લાઇન ભુલાઈ
આ પણ વાંચો : કોરોનાની દહેશત : અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ, કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા આદેશ
Published On - 7:22 pm, Sun, 2 January 22