અમદાવાદના ગોતામાં પ્રદૂષિત પાણીનો મામલો, શરૂઆતમાં નમૂના અનફિટ, હવે પાણી પીવાલાયક જાહેર
અમદાવાદના ગોતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીના કેસમાં 3 જૂને લીધેલા 3 સોસાયટી – આકાંક્ષા, વર્ધમાન અને નવરત્નના નમૂના અનફિટ જાહેર થયા હતા, જ્યાં બેક્ટેરિયલ દૂષણ જોવા મળ્યું હતું.
અમદાવાદના ગોતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીના કેસને કારણે રોગચાળાની દહેશત ઊભી થઈ હતી. 3 જૂનના રોજ 14 સોસાયટીઓના વોટર ટેન્કમાંથી લેવાયેલા પાણીના નમૂનામાંથી ત્રણ સોસાયટી, જેમાં આકાંક્ષા, વર્ધમાન અને નવરત્ન સોસાયટીનો સમાવેશ થાય છે, ત્યાંના નમૂના અનફિટ જાહેર થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ વિસ્તારોમાં બેક્ટેરિયલ દૂષણ જોવા મળ્યું હતું, જે પાણીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્ન ઊભા કરતું હતું.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, AMC અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. 4 જૂનના રોજ કુલ 17 પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, અને ત્યારબાદ 5 જૂનના રોજ વધુ પાંચ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નવા નમૂનાઓના રિપોર્ટમાં પાણીની ગુણવત્તાને ફિટ જાહેર કરવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓના નિવેદન અનુસાર, હાલ તમામ સોસાયટીઓમાં પીવાલાયક પાણીનું વિતરણ થઈ રહ્યું છે. નવા રિપોર્ટ મુજબ, પાણીમાં ક્લોરિનનું પ્રમાણ પણ એક થી બે ની વચ્ચે હોવાનું સામે આવ્યું છે, જે પીવાના પાણી માટે યોગ્ય માનક છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગોતા વિસ્તારમાં પાણીની શુદ્ધતાનો મુદ્દો ઉકેલાઈ ગયો છે અને પાણી હવે પીવા માટે સુરક્ષિત છે.
ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર, ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા
