GIR SOMNATH : વનવિભાગની જમીન પર ફાર્મ હાઉસ બનાવનાર તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ
ડો.રસિક વઘાસીયાને વનવિભાગે 2018 થી 2021 સુધી 6 વાર નોટિસ આપ્યા બાદ પણ નોટીસનો જવાબ ન આપતા આખરે કાર્યવાહી કરવામાં આવી.
GIR SOMNATH : રાજ્યમાં વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવ્યોનો પહેલા કિસ્સો સામે આવ્યો છે.ગીરસોમનાથમાં જંગલની સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવનાર તબીબ રસિક વઘાસિયા સામે વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે…ઉલ્લેખનિય છે કે વન વિભાગે 6 વાર નોટિસ ફટકાર્યા બાદ પણ તબીબે મચક નહોતી આપી.જેના પગલે વન વિભાગે આખરે ફરિયાદ નોંધાવી છે..તો પોલીસે પણ તબીબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તબીબે સરકારી જમીન પર કરેલા ગેરકાયદે બાંધકામની જો વાત કરીએ તો હડમતીયા ગીર ગામે જાણીતા તબીબ રસિક વઘાસિયાએ 6 વીઘા સરકારી જમીન પર રિસોર્ટ તાણી બાંધ્યું હતું.તેનો કોર્મશિયલ ઉપયોગ શરૂ કર્યો હતો.જેમાં રિસોર્ટ, કોટેજ, કોંફરન્સ હોલ, સ્વિમિંગ પુલ ગોડાઉન સહિતનું બાંધકામ કર્યું હતું.જે અંગે વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહીની અરજી કરી હતી…અરજી બાદ જિલ્લા કલેક્ટર અને માપણી વિભાગે તપાસ કરતા સરકારી જમીન પર ગેરકાયદે દબાણનો ખુલાસો થયો હતો.ત્યારે પોલીસ ફરિયાદ બાદ હવે તબીબ રસિક વઘાસિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : BHAVNAGAR : અલંગમાં ફરી એક વાર શીપ બ્રેકીંગનું કામ ઠપ્પ, જાણો શું છે કારણ
આ પણ વાંચો : RAJKOT : સ્ટેટ GST વિભાગના ત્રણ કમર્ચારી 3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા