ગાંધીનગરમાં (Gandhinagar) કોરોનાની (Corona) વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં લઇને ગાંધીનગરના પ્રભારી મંત્રી (Harsh Sanghvi) હર્ષ સંઘવી દ્વારા એક સમીક્ષા બેઠક (Review meeting) યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર કલેક્ટર, ડીડીઓ, જીએમસી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
ગાંધીનગર કોરોના સમીક્ષા મુદ્દે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે “રાજયમાં કોરોના કેસો વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી વાયબ્રન્ટ ગુજરાત રદ કરાયુ છે. રાજ્ય સરકારે અતિમહત્વનો પ્રોગ્રામ લોકોના હિતમાં રદ કર્યો છે. આ સાથે કોરોના મામલે તકેદારીના ભાગરૂપે પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું છે.”
આ સાથે મંત્રીએ ગાંધીનગર શહેર જિલ્લાની કોરોનાની સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સંઘવીએ પત્રકારોને જણાવ્યું કે “કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા જ બીજી લહેર વખતે ખૂબ મોટી વ્યવસ્થા ઉભી કરાઈ હતી અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ હતી. સાથે જ જનરેટર ઓક્સિજન પ્લાન્ટ સહિત તમામ સુવિદ્યા ઉભી કરાઈ હતી. 700 થી વધુ ઓક્સિનજન કોન્સન્ટ્રેટર છે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું કે “બીજા જિલ્લાની સરખામણીમાં ટ્રેસિંગ સિસ્ટમ સારી છે. આ બેઠકમાં ધનવંતરી રથ, માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયની તમામ હેલ્થ ફેસિલિટીની ચિંતા કરાઈ છે. આવનાર દિવસોમાં આ સ્થિતિ લડવા માટે તૈયાર છે.” અમારા સર્વોચ્ચ નેતા વાયબ્રન્ટ ગુજરાત માટે આવવાના હતા, લોકોને ધ્યાનમાં રાખી કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : Amreli: ડ્રોનની મદદથી દારુની ભઠ્ઠીઓ પર તવાઇ, અત્યાર સુધીમાં 65 કેસ નોંધ્યા
આ પણ વાંચો : GODHARA: પંચમહાલમાં ફરી વાઘ આવ્યો હોવાના ફોટા ફરતા થયાઃ જાણો શું કહે છે વનતંત્ર