કમલમમાં ઘર્ષણ મુદ્દે આપના છ નેતા વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ, મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે

આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને શિવકુમાર , પ્રવીણ રામ, નિખિલ આદત અને હસમુખ પટેલ સામે FIR કરવામાં આવી છે. તેમજ આ તમામને મંગળવારે  કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:32 PM

ગુજરાતના(Gujarat)  ગાંધીનગરમાં(Gandhinagar) ભાજપના(BJP) પ્રદેશ કમલમમાં(Kamalam) ઘર્ષણ મુદ્દે  આમ આદમી (AAP)  પાર્ટીના  6 નેતા સહિત 500ના ટોળા સામે પોલીસે  FIR દાખલ કરી છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને શિવકુમાર , પ્રવીણ રામ, નિખિલ આદત અને હસમુખ પટેલ સામે FIR કરવામાં આવી છે.

તેમજ આ તમામને મંગળવારે  કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં પોલીસે આઇપીસીની કલમ 452, 341, 323, 143  હેઠળ FIR દાખલ કરી છે. તેમજ બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે.. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો.. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા.. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.

જેમાં  સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો.જેમાં AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે.. પોલીસે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિત AAPના કાર્યકરોની અટકાયત કરી છે..AAPના નેતાઓ કેવી રીતે કમલમમાં ધસી આવ્યા તેના CCTV પણ સામે આવ્યા છે..તો બીજીતરફ ભાજપની મહિલા કાર્યકરોએ ઈસુદાન ગઢવી પર છેડતી અને નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :  ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ, ગુજરાતના 24 કર્મયોગી તૈરાક સહભાગી થશે

આ પણ વાંચો :  AHMEDABAD : “ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે” કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર કર્યા પ્રહારો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">