શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બનાસકાંઠામાં બે બાળકોના મોત, બે સારવાર હેઠળ, જુઓ વીડિયો

|

Jul 22, 2024 | 9:29 AM

બનાસકાંઠા જિલ્લામાં પણ શંકાસ્પદ વાયરસના ચાર કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે બે બાળકો હાલમાં સારવાર હેઠળ છે. બાળકોના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય વિભાગે પણ સ્ક્રિનીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

રાજ્યમાં એક બાદ એક ચાંદીપુરાના કેસ સામે આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસે ઉત્તર ગુજરાતમાં કહેર મચાવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ શંકાસ્પદ વાયરસના ચાર કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે બે બાળકો હાલમાં સારવાર હેઠળ છે. બાળકોના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક આરોગ્ય વિભાગે પણ સ્ક્રિનીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

પાલનપુર શહેરમાં આરટીઓ ફાટક વિસ્તારમાં રહેતા પરિવારે 8 વર્ષના બાળકને ખેંચ આવતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે કાંકરેજના ડુંગરાસણ ગામના 12 વર્ષના બાળકની પણ તબિયત લથડતા ધારપુર મેડિકલ કોલેજની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video