પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા લાંબા સમય બાદ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા- Video

જુનાગઢમાં ગાંધી જયંતી નિમીત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં છેલ્લા ઘણા સમયથી ભાજપની નારાજ ચાલી રહેલા જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા. અગાઉ પત્ર લખી ભાજપ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચુકેલા પૂર્વ કેબિનેટ મંત્રી ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં જોવા મળતા ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2024 | 3:54 PM

હાંસિયામાં ધકેલાયા બાદ એક પછી એક લેટર બોમ્બ ફોડનારા જવાહર ચાવડા ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે જવાહર ચાવડાએ કોઇ નારાજગી વ્યક્ત નથી કરી અને એટલે જ તેની ચર્ચાનું કારણ જુદું છે.

સંજોગો સામાન્ય હોત તો આ દ્રશ્યો પણ સામાન્ય જ હોત. પરંતુ ઘણા લાંબા સમયે આ દ્રશ્યો જોવા મળ્યા અને એટલે જ આ દ્રશ્યોની જેમ જ ચર્ચાના કેન્દ્રમાં પણ એક જ વ્યક્તિ રહ્યા. જે હતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા  અને પ્રસંગ હતો જુનાગઢમાં ગાંધી જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમનો. જેમાં લાંબા સમય બાદ જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા. આ દરમિયાન જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં જોવા મળ્યા.

જે રીતે જવાહર ચાવડાએ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે જ તલવાર તાણી છે એ જોતાં આ દ્રશ્યો ઘણા જ સૂચક છે. આ કાર્યક્રમમાં જુનાગઢના સાંસદ, ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જવાહર ચાવડાએ પણ આ બધા જ સાથે હળવાશભર્યા માહોલમાં વાત કરી. જો કે તેમણે મીડિયા સમક્ષ કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો.

મહત્વનું છે કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી એક પછી એક પત્ર લખી પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે જુનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે સત્તાના દુરૂપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ મુકતો પત્ર પીએમ મોદીને લખ્યો હતો. તો એ પહેલા જવાહર ચાવડાએ વધુ ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણી વખતે પણ તેઓ પ્રચારથી અળગા રહ્યા હતા. એટલું જ નહીં બાદમાં તેમણે ભાજપનું કમળનું ચિન્હ હટાવી પોતાની ઓળખ મુદ્દે માંડવિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
g clip-path="url(#clip0_868_265)">