AHMEDABAD : 24 કલાકમાં 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 10 દિવસ બંધ રાખવા આદેશ

Ahmedabad Corona Update : શાળા દ્વારા સંક્રમણની માહિતી ડીઈઓને અપાઈ છે જે બાદ ડીઇઓ દ્વારા શાળાને 10 દિવસ માટે બંધ રાખવા સૂચના અપાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:45 PM

AHMEDABAD : શહેરમાં 24 કલાકમાં કુલ 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.બોડકદેવની શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આપતા તંત્ર દોડતું થઈ ગયું છે.શાળા દ્વારા સંક્રમણની માહિતી ડીઈઓને અપાઈ છે જે બાદ ડીઇઓ દ્વારા શાળાને 10 દિવસ માટે બંધ રાખવા સૂચના અપાઈ છે.અગાઉ વધુ 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે.આ ત્રણ વિદ્યાર્થીઓ માધ્યમિક ધોરણના છે.બે વિદ્યાર્થી આંબાવાડીની એક સ્કૂલના છે અને એક વિદ્યાર્થી નારણપુરાની એક સ્કૂલનો છે.

આ બંને સ્કૂલો ખાનગી છે અને આ સ્કૂલો દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયાની જાણ કરાઈ હતી.જે બાદ ડીઈઓએ આ બંને સ્કૂલોને દસ દિવસ માટે ઓફલાઈન શિક્ષણ સંપૂર્ણ રીતે બંધ કરવાનો અને સેનેટાઈઝેશન કરવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત જે ક્લાસરૂમના બાળકો પોઝિટિવ આવ્યા છે તે ક્લાસના અન્ય બાળકોનું પણ ટેસ્ટિંગ કરી લેવા સૂચના આપવામાં આવી છે.મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ અમદાવાદની ત્રણ સ્કૂલના ચારથી પાંચ જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા આઠ દિવસમાં કોરોનાના 1303 જેટલા કેસ નોંધાયા છે.જેમાં 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178 અને આજે 29 ડિસેમ્બરના રોજ 265 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં માઈક્રો કન્ટેઇન્મેન્ટની સંખ્યા વધીને 11 થઈ, ત્રણ લોકો વિરુદ્ધ નિયમના ભંગ બદલ એફઆઇઆર દાખલ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">