Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં પહેલા માળે આવેલી SRL ખાનગી લેબોરેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લેબની બાજુમાં જ કનેરિયા હોસ્પિટલ આવેલી છે. જેથી આગનો ધુમાડો કનેરિયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:47 AM

જૂનાગઢ (Junagadh)માં વહેલી સવારે ખાનગી લેબોરેટરી (Private laboratory)માં આગ (Fire) લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો પાસેની કનેરિયા હોસ્પિટલમાં પણ પહોંચી ગયો હતો. જેના કારણે દર્દીઓને ગુંગળામણ થવા લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી લીધા હતા. જો કે તેમાંથી ત્રણ દર્દીઓની હાલત ગંભીર છે.

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં પહેલા માળે આવેલી SRL ખાનગી લેબોરેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લેબની બાજુમાં જ કનેરિયા હોસ્પિટલ આવેલી છે. જેથી આગનો ધુમાડો કનેરિયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. ધુમાડો મોટા પ્રમાણમાં હોસ્પિટલમાં પહોંચતા દર્દીઓને ગૂંગળામણ થવા લાગી હતી. જેના પગલે હોસ્પિટલમાં દાખલ 10 જેટલા દર્દીઓને બહાર કાઢી લેવાયા હતા. 10 દર્દીઓમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બીજી તરફ કનેરિયા હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. જો ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા ન દાખવી હોત તો અનેક દર્દીઓની જિંદગી દાવ પર લાગી ગઈ હોત. દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં ફાયરના સાધનો એક્સપાયર થઈ ગયેલા છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમના સાધનો સમયસર કામ લાગી શક્યા નહોતા.

પાણીનો છંટકાવ પણ થઈ શક્યો નહોતો અને ફાયર બ્રિગેડના વાહનમાંથી સીડી પણ નહોતી ખુલતી તો દર્દીઓના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજાને તાળુ મારીને બહાર નીકળી ગયા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમને તાળા તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા. જોકે ડૉક્ટરે સબ સલામતના દાવા કર્યા હતા.

આ પણ વાંચો- સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માંગ

આ પણ વાંચો- Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર માટીના કુલડીમાંથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ, અમિત શાહે કહ્યું- બાપુને આનાથી મોટી શ્રદ્ધાંજલિ ન હોઇ શકે

 

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">