Narmada: નર્મદામાં ખેતી નુક્સાન પેકેજથી ખેડૂતો નારાજ, સહાય નજીવી હોવાનો આક્ષેપ, જુઓ video

|

Sep 23, 2023 | 8:13 PM

તાજેતરમાં થયેલા ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવ્યુ હતુ. નર્મદા નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદી કાંઠા વિસ્તારના અનેક ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. નર્મદા નદી કાંઠા નજીક આવેલા ખેતરોમાં પૂરના પાણીથી નુક્સાનની સ્થિતિ સર્જાઈ છે. સરકારે ખેતીમાં થયેલા નુક્સાનને લઈ સરકારે રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેને લઈ સ્થાનિક નર્મદા જિલ્લાના ખેડૂતોએ સહાયને નજીવી ગણાવી છે.

તાજેતરમાં થયેલા ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવ્યુ હતુ. નર્મદા નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદી કાંઠા વિસ્તારના અનેક ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. નર્મદા નદી કાંઠા નજીક આવેલા ખેતરોમાં પૂરના પાણીથી નુક્સાનની સ્થિતિ સર્જાઈ છે. સરકારે ખેતીમાં થયેલા નુક્સાનને લઈ સરકારે રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. જેને લઈ સ્થાનિક નર્મદા જિલ્લાના ખેડૂતોએ સહાયને નજીવી ગણાવી છે.

આ પણ વાંચોઃ  Aravalli: બાયડ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતી પાક નિષ્ફળ, વરસાદી પાણીથી ધોવાણ થતા ખેતરોમાં કોતરો સર્જાઈ ગઈ! જુઓ Photo

નર્મદા જિલ્લાના ખેડૂતોનુ કહેવુ છે કે, જે પેકેજ સરકારે જાહેર કર્યુ છે એ ખૂબ જ નજીવુ જાહેર કરવામાં આવ્યુ છે. અમે જે નુક્સાન ભોગવ્યુ છે એ ખૂબ જ મોટુ છે એની સામે આ પ્રકારની સહાય એ ખૂબ જ ઓછી છે. આ પ્રકારની સહાયએ યોગ્ય નહીં હોવાનુ ખેડૂતો ગણાવી રહ્યા છે. ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યુ કે, જે સહાય જાહેર કરી છે એનાથી તો માત્ર ખેતર જ સાફ થઈ શકે એટલી ઓછી છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 8:13 pm, Sat, 23 September 23

Next Video