અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સર્જાવી સામાન્ય બની રહી છે. એક તરફ અકસ્માત નિયંત્રણમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, આમ છતાં બેજવાબદાર ભર્યા ડ્રાઇવિંગ વડે અકસ્માતની ઘટનાઓમાં વધારો કરી રહ્યા છે. આવી જ રીતે રાજપથ ક્લબ નજીક એક કાર ચાલકે અકસ્માત સર્જી ચાર વાહનોને અડફેટે લીધા હતા.
ચાર વાહનોને અડફેટે લેનારો કાર ચાલક અમદાવાદ શહેરના જાણીતા ડોક્ટરનો પુત્ર હોવાની વિગતો સામે આવી રહી છે. વાહન ચાલકોએ અકસ્માત સર્જનારા કાર ચાલક યુવકને ઝડપી લઈને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. બેફામ ડ્રાઇવિંગને લઈ ચાર વાહનોને નુક્સાન થયુ હતુ. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં થઇ હોવાની વિગતો સામે આવી છે.
Published On - 3:44 pm, Sun, 4 February 24