Banaskantha : અંબાજી મંદિરમાં ભક્તે 40 કિલો ચાંદીનું દાન આપ્યું, જુઓ Video
બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિરમાં ભક્તો દૂર -દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે કેટલાક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે. તેમજ અમુક શ્રદ્ધાળુઓ માનતા પુરી થતા પગપાળા પણ મા અંબાના દર્શન કરવા આવતા હોય છે.
બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિરમાં ભક્તો દૂર -દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે કેટલાક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે. તેમજ અમુક શ્રદ્ધાળુઓ માનતા પુરી થતા પગપાળા પણ મા અંબાના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે તાજેતરમાં મા અંબાના ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન આપ્યું છે.
ભક્તે અંબાજીમાં આપ્યું 40 કિલો ચાંદી
ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખીને માઈ ભક્તે અંદાજીત રુપિયા 46 લાખની કિંમતની ચાંદીનું દાન કર્યું છે. દાન કરેલી ચાંદીમાં ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવનાથજી મંદિરની જાળીનો સમાવેશ થાય છે. આ સાથે જ ચાંદીનું મોટું છતર, પ્રસાદ માટે ચાંદીનો વાટકો આપ્યો છે. તેમજ ભક્તે બાજોઠ પણ ભેટમાં આપી છે.
