ડાંગ :દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી લોકસભા ચૂંટણી માટે મહત્વની ગણાય છે. આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ યથાવત રહે તે માટે ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાડી રહી છે. ભાજપા વિચારધારાથી પ્રેરાઈ 600થી વધુ કોંગી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
આદિવાસી પટ્ટામાં કોંગ્રેસનું તૂટવાનું યથાવત છે. ભરૂચ બાદ ડાંગમાં ભાજપમાં ભરતીમેળો જોવા મળ્યો છે. સામગહાન વિસ્તારના 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ નેતાઓએ MLA વિજય પટેલ, જિલ્લા પ્રભારી રાજેશ દેસાઇના હસ્તે કેસરિયા ખેસ ધારણ કર્યા છે. PMની વિકાસલક્ષી કાયાપલટથી પ્રભાવિત થયાનો કાર્યકરોનો દાવો છે. અગાઉ સામગહનના આગેવાન ચંદર ગાવિતે કોંગ્રેસ છોડી હતી. ચંદર ગાવિતના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.