AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માસ્કને લઈ લોકો થયા જાગૃત ! માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો

માસ્કને લઈ લોકો થયા જાગૃત ! માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 10:03 AM
Share

કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેરની શીખ લઈને લોકો સ્વયંભૂ જાગૃત બન્યા છે. વિશ્વમાં ફરી કોરોના કેર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વધતી ચિંતાને લઈ લોકોએ સતર્કતા દાખવી છે. મેડિકલ સ્ટોરમાં માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે.

કોરોનાના સંભવિત ખતરાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે. સંકટ સામે લડવા સરકારી હોસ્પિટલોને સજ્જ કરવામાં આવી છે. રાજ્યના કેટલાક શહેરોમાં આરોગ્ય વિભાગની સતર્કતા સાથે સજ્જતા જોવા મળી છે. તો બીજી તરફ કોરોનાની પ્રથમ અને બીજી લહેરની શીખ લઈને લોકો સ્વયંભૂ જાગૃત બન્યા છે. વિશ્વમાં ફરી કોરોના કેર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વધતી ચિંતાને લઈ લોકોએ સતર્કતા દાખવી છે. મેડિકલ સ્ટોરમાં માસ્કના વેચાણમાં 40 ટકાનો વધારો થયો છે. શિયાળો હોવાથી શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓની સંખ્યા પણ વધી છે. જેથી વિટામીન સી, ઝીંક અને પેરાસીટામોલ જેવી દવાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. તંત્રએ પણ લોકોને સતર્કતા જાળવવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરી છે. જેને નાગરિકો પણ અમલ કરી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા પણ સતર્ક

કોરોનાના હાહાકારને લઈ રાજકોટ મનપા પણ સતર્ક થયું છે. અને જાહેર સ્થળો પર લોકોને સાવચેતી જાળવવા લોકોને અપીલ કરી છે. સગર્ભા મહિલા, વૃદ્ધો, બાળકો અને બિમારી ધરાવતા લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવા નિર્દેશ કર્યા છે. તેમજ લોકોને થોડાપણ લક્ષણો જણાય તો ટેસ્ટીંગ કરાવવા અપીલ કરી છે. હાલ શહેરમાં 23 આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે. શહેરમાં માત્ર એક જ એક્ટિવ કેસ છે. ત્યારે શહેરમાં કોરોનાને લઈ સ્થિતિ કાબુમાં છે. અને જો કોરોનાની ભયંકર પરિસ્થિતિ સર્જાય તો પણ તંત્ર સજ્જ છે.

g clip-path="url(#clip0_868_265)">