AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા તાલુકાઓની જાહેરાતની સાથે સાબરકાંઠામાં વિવાદ, ઈડરમાંથી જાદરને અલગ ન કરતાં નારાજગી, જુઓ Video

નવા તાલુકાઓની જાહેરાતની સાથે સાબરકાંઠામાં વિવાદ, ઈડરમાંથી જાદરને અલગ ન કરતાં નારાજગી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2025 | 3:05 PM
Share

ગુજરાતમાં નવા 17 તાલુકા બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાતને લઈને વિવાદ ઉભો થયો છે. ઇડર તાલુકામાંથી જાદરને અલગ તાલુકો બનાવવાની માગ ઘણા સમયથી ચાલી રહી હતી.

ગુજરાતમાં નવા 17 તાલુકા બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાતને લઈને વિવાદ ઉભો થયો છે. ઇડર તાલુકામાંથી જાદરને અલગ તાલુકો બનાવવાની માગ ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ, આ માગ પૂર્ણ ન થતાં સ્થાનિક ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિવિધ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. ભાજપ તાલુકા ઉપપ્રમુખ સહિત ઘણા કાર્યકરોએ આ નિર્ણય લીધો છે. આ ઘટનાથી ગુજરાત રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્ષો જુની માંગ પૂર્ણ ન થવાને કારણે આ વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે 17 નવા તાલુકાઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં 250 થી વધુ તાલુકાઓ કાર્યરત છે. આ નવા તાલુકાઓ ઉમેરાવાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી કાર્યો માટે ઓછા અંતરનું પ્રવાસ કરવું પડશે અને તેમને સમય અને ખર્ચ બચશે.

આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી આ ચૂંટણીઓમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. સરકાર દ્વારા સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નવા તાલુકાઓના સ્થાન, તેમની સીમાઓ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ નવા તાલુકાઓ ઉમેરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">