Rath yatra 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સુખ-શાંતિ અને એકતા રહે તેવી જગન્નાથજીને કરી પ્રાર્થના, કચ્છી બંધુઓને નવા વર્ષની શુભકામના પાઠવી, જુઓ Video

Rath yatra 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સુખ-શાંતિ અને એકતા રહે તેવી જગન્નાથજીને કરી પ્રાર્થના, કચ્છી બંધુઓને નવા વર્ષની શુભકામના પાઠવી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 20, 2023 | 9:44 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને આજે પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે. તેમજ દરવર્ષની જેમા આ વર્ષે પણ ગુજરાતમાં સુખ-શાંતિ, સમૃદ્ધી અને સદભાવના રહે તેવી ભગવાના જગન્નાથને પ્રાર્થના કરી છે.

Rath yatra 2023 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને આજે પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે.

આ પણ વાંચો :Breaking News Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી નવા રથમાં થયા બિરાજમાન, થોડી જ વારમાં નગરચર્યાએ નીકળશે નાથ

આ ઉપરાંત કચ્છી લોકોના નવા વર્ષ નિમિત્તે દેશ અને દુનિયામાં વસતા કચ્છી બંધુઓને શુભેચ્છા પાઠવી છે. તેમજ દરવર્ષની જેમા આ વર્ષે પણ ગુજરાતમાં સુખ-શાંતિ, સમૃદ્ધી અને સદ્ભાવના રહે તેવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે. આજે આ શુભ પ્રસંગે પહિંદ વિધિમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.

પહિંદ વિધિનું અનોખું મહાત્મય

ભગવાન જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવાનું અનોખુ મહત્વ ધરાવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે રાજ્યના મુખ્યમંત્રી(Chief Minister) જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 20, 2023 08:38 AM
Follow Us
Loading...
Unable to load recommendations.