ભરૂચને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતિય લોકો દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાશે, તડામાર તૈયારીના જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 18, 2023 | 10:05 PM

ભરૂચજિલ્લાને કર્મભૂમિ બનાવનારા પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયાં છે. દિનકર સેવા સમિતિના નેજા હેઠળ સરદારબ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચે આવેલા કનક સંકટમોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચજિલ્લાને કર્મભૂમિ બનાવનારા પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયાં છે. દિનકર સેવા સમિતિના નેજા હેઠળ સરદારબ્રિજ અને કેબલ બ્રિજની વચ્ચે આવેલા કનક સંકટમોચન હનુમાન મંદિરના ઓવરા ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચમાં દિનકર સેવા સમિતિ દ્વારા વર્ષોથી છઠપૂજાનું આયોજન કરવામાં આવે છે.દિનકર સેવા સમિતિના પ્રમુખ ડો,જીતેન્દ્ર રાજપુતે જણાવ્યું હતું કે,સમિતિ દ્વારા નર્મદા ઘાટ પર તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે 4 કલાકે અસ્ત પામતા સૂર્યદેવને અર્ધ્ય અને સોમવારે સવારે 7 કલાકે ઉગતા સૂર્યને સમાજની મહિલાઓ અધ્ય આપીને છઠપૂજાની ઉજવણી કરનાર છે.

આ પણ વાંચો : લાભ પાંચમના શુભ મુહૂર્ત સાથે બજારો ફરી ધમધમતા થયા, પ્રાર્થના સાથે નવા વર્ષના કારોબારનો પ્રારંભ કરાયો

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 18, 2023 10:03 PM