દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈમાં બોમ્બ હોવાની ધમકી ! અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ ,જુઓ-Video

|

Jun 03, 2024 | 12:37 PM

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી જે બાદ તેનું અમદાવદમાં ઈમરજન્સની લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. બોમ્બ હોવાની અફવા ફેલાતા ફ્લાઈટમાં અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. જે બાદ ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી.

ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા

અમદાવાદમાં ફ્લાઈટ લેન્ડ થતા જ ડોગ સ્ક્વોર્ડને દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.મુસાફરોના સામાનની હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી હતી, જે બાદ તેનું અમદાવદમાં ઈમરજન્સની લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.

સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી

મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ તમામ સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એરપોર્ટ પર પહોચવા માટે કહેવામાં આવ્યું હતુ. જેમાં બોમ્બ વિસ્ફોટ ટીમ દ્વારા અને ડોગ સ્કવોડ ટીમની તપાસ બાદ સામે આવ્યું છે કે કોઈના પણ સામાન કે ફ્લાઈટમાંથી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ સાથે હજુ પણ તપાસ ચાલુ છે ત્યારે આ અંગે બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો ત્યારે આ કોલ કરનાર વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ દિલ્હીથી વડોદરા આવી રહેલી ફ્લાઈટમાં પણ મળી ધમકી

આ અગાઉ દિલ્હીથી વડોદરા આવી રહેલી ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી જે બાદ યાત્રીકો ફ્લાઈટની બારીમાંથી ઉતરી પડ્યા હતા. આ અફવા ફેલાતા NSG કમાન્ડો, CISF, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતુ. યાત્રીના જણાવ્યા અનુસાર 10 કિલોમીટર દૂર ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.

બોમ્બના સમાચાર મળતાં જ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરની ફ્લાઈટનો રૂટ બદલીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

Published On - 12:35 pm, Mon, 3 June 24

Next Video