Devbhumi Dwarka : ખંભાળિયામાં આયુર્વેદિક સીરપમાંથી આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો, ચાંગોદરની ફેક્ટરીમાં બનતી હતી સીરપ, જુઓ Video

ખંભાળિયા શહેરમાંથી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ સીરપ અમદાવાદ નજીક ચાંગોદરની એક ફેક્ટરીમાં બનતી હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 1:01 PM

Devbhumi Dwarka : ખંભાળિયા શહેરમાંથી આયુર્વેદિક સીરપની (Ayurvedic syrup) બોટલોમાં આલ્કોહોલ મળવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ સીરપ અમદાવાદ નજીક ચાંગોદરની એક ફેક્ટરીમાં બનતી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, અમદાવાદના એક શખ્સે ચાંગોદરમાં ફેક્ટરી ખોલીને આ ફેક્ટરીમાં આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવા બનાવતો હતો અને આ નશીલી દવા રાજ્યના અલગ-અલગ જિલ્લામાં મોકલતો હતો.

આ પણ વાંચો ગીર સોમનાથના ગીરગઢડા ખાતે 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દેવભૂમિદ્વારકાની LCBએ ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં આવેલી એક ટ્રકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી કાલ મેઘસવા નામની સીરપની 4 હજાર બોટલ મળી આવી હતી. આ સીરપની તપાસ કરતા ધ્યાને આવ્યું કે આતો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત સીરપ છે. ત્યારબાદ પોલીસે 6 લાખની સીરપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સીરપ કબજે કર્યા બાદ વધુ તપાસ કરી તો ચોંકવનારા ખુલાસા થયા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ખોટા દસ્તાવેજ ઉભા કરીને ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી અને સીરપ બનાવવાની મંજૂરી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ બાદ દેવભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના વતની અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા ભરત નકુમ નામના યુવકની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો હતો.

રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં પોલીસે આરોપી પાસેથી કેટલીક માહિતી મેળવી હતી. ફેક્ટરી પરથી વધુ 12 લાખનો મુદ્દામાલ સાથે 840 લીટર આલ્કોહોલ મળી આવ્યો છે. આરોપીઓએ આપેલી માહિતી મુજબ, આલ્કોહોલ, સિટ્રિક એસિડ, સ્વીટનર, ફ્લેવર એટલે કે, ફ્રુટ બિયરને પાણીમાં ભેળવીને આ આયુર્વેદિક દવા તૈયાર કરવામાં આવતી હતી. ત્યારબાદ મશીન મારફતે બોટલને સીલ બંધ કરવામાં આવતી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારમાં ગેરકાયદે બિલ બનાવી ખોટા GST નંબર નાખીને બજારમાં વેચી દેવામાં આવતી હતી. હાલ આ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">