થિયેટર અને મલ્ટિપ્લેક્સ માલિકો ચિંતામાં, રાત્રિ કરફ્યૂને કારણે રાત્રી શો રદ થતાં મોટુ નુકસાન

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. સાથે જ માસ્ક અને સેનિટાઈઝેશન જેવા નિયમોનો કડક અમલ કરવા વિશે કહેવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 8:00 AM

ગુજરાત (Gujarat)માં કોરોનાના કેસો (Corona cases)નો રાફડો ફાટી નીકળતા રાજ્ય સરકારે નિયંત્રણો લગાવવાનું શરુ કરી દીધુ છે. રાજ્ય સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂના અમલ કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે. રાત્રી કર્ફ્યૂના કારણે થિયેટર અને મલ્ટિપ્લેક્સ (Theaters and multiplexes) પણ બંધ રહેશે. જેના કારણે મોટુ નુકસાન જવાની ચિંતા થિયેટરના માલિકોએ વ્યક્ત કરી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈનના કારણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને મોટો ઝટકો લાગ્યો છે. રાત્રે 10 વાગ્યા બાદ રાત્રી કર્ફ્યૂ લાગૂ થતાં રાત્રી શૉ રદ કરવાનો વારો આવ્યો છે. જો કે થિયેટર એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું કે નુકસાન થશે, પરંતુ લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જરૂરી છે.

રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે થિયેટર અને મલ્ટિપ્લેક્સને બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે. સાથે જ માસ્ક અને સેનિટાઈઝેશન જેવા નિયમોનો કડક અમલ કરવા વિશે કહેવામાં આવ્યુ છે. જો કે બીજી લહેરમાં ઘણા સમય સુધી થિયેટર બંધ રહેતા થિયેટર્સના માલિકોને મોટુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. હવે ફરીથી રાજ્ય સરકાર દ્વારા આંશિક નિયંત્રણો લદાતા ફરી નુકસાન જવાની થિયેટર્સ માલિકોમાં ચિંતા છે.

મહત્વનું એ છે કોરોનાના કેસો વધવાના કારણે નવી ફિલ્મો પોસ્ટપોન થઈ છે. હાલમાં ચાલી રહેલી 83, પુષ્પા, સ્પાઇડર મેન ફિલ્મના શોમાં SOP મુજબ કામગીરી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી

આ પણ વાંચોઃ Kutch: કોરોના સામે લડવા કચ્છનું તંત્ર સજ્જ, પ્રભારી સચિવે કરી તૈયારીઓની સમીક્ષા

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">