Bharuch : કાંકરિયા ધર્માંતરણ કેસમાં ઝડપાયેલા ચારેય આરોપીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલાયા

આરોપીઓને ધર્માંતરણ માટે લાલચ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારે તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:05 AM

ભરૂચ(Bharuch) જિલ્લામાં આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે 100 થી વધુ લોકોના ધર્માંતરણના કેસ(Conversion Case)માં ભરૂચ એસઓજી એ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આદિવાસીઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 14 ઉપર પોહચ્યો છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 થી વધુ આદિવાસીઓના ધર્માંતરણમાં ભરૂચ SOG એ મુખ્ય આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી શકે છે. વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી જે સામે કોર્ટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. વોન્ટેડ 4 આરોપીઓ અબ્દુલ સમદ દાઉદ પટેલ (બેકરીવાલા), શાબિર ઉર્ફે શબ્બીર દાઉદ પટેલ, હસન ઈસા ઇબ્રાહિમ પટેલ ટીસલી અને ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ ડેલાવાલા તમામ રહે આમોદને ઝડપી લેવાયા છે.

આરોપીઓને ધર્માંતરણ માટે લાલચ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારે તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા(Paresh Pandya)એ દલીલો કરી હતી. પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે કેસમાં પૈસા ક્યાંથી આવ્યા ? કોના મારફતે આવ્યા? કોને ચૂકવ્યા અને કાવતરામાં કોની શું ભૂમિકા રહી હતી? જેવા પ્રશ્નોના જવાબ શોધવામાં આવી રહ્યા છે, આરોપીઓની પૂછપરછ ગુનાના મૂળ સુધી ઉતરવામાં મદદરૂપ થાય તેમ હોવાની કોર્ટને રજુઆત કરવામાં આવી હતી જે ધ્યાને લઈ તમામ ચાર આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભરૂચ : કાંકરિયા ગામમાં ધર્માંતરણ કેસમાં 4 આરોપીની ધરપકડ, અગાઉ ઝડપાયેલા 8 આરોપીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

 

આ પણ વાંચો : જંબુસરના માલપુર ગામમાં આગની ઘટનામાં ત્રણ મકાન ભસ્મીભૂત, રહેવાસીઓએ તમામ ઘરવખરી ગુમાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">