અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ, માઈ ભક્તોના પ્રસાદ માટે ધમધમ્યા રસોડા- જુઓ Video

અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાદરવી પૂનમે અહીં મોટો મેળો પણ ભરાય છે અને લાખો માઈ ભક્તો મા અંબેના દર્શને આવે છે. અંબાજી આવનારા આ માઈભક્તો માટે લાખો કિલોનો મોહનથાળનો પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રસોડા ધમધમી ઉઠ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2024 | 7:15 PM

ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં પૂનમના દર્શને આવનારા માઈભક્તો માટે રસોડા ધમધમવા લાગ્યા છે. માઈભક્તો માટે મોહનથાળના પ્રસાદની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં લોકો વિવિધ વાનગીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે છે. સ્થાનિક હસ્તકલા અને હસ્તશિલ્પનો પણ આનંદ માણે છે. મેળામાં આવતા લોકો માટે પ્રસાદનું પણ અનેરુ મહત્વ છે. મોહનથાળનો પ્રસાદ લોકો સાથે લઈ જાય છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ આ માટે કૂલ ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જો કે આ મોહનથાળના પ્રસાદમાં જે જે વસ્તુઓ વપરાય છે તેના કટ્ટા આવી ગયા છે. પછી તે લોટ હોય કે ખાંડ જેમાં એક લાખ કિલો કરકરો બેસન, દોઢ લાખ કિલો ખાંડ, 75 હજાર કિલો શુદ્ધ ઘી, 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે.જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે.

મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે.જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે. આ કેન્દ્ર પરથી માઈભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">