બનાસકાંઠામાં વિરામ બાદ વરસાદ વરસવાને લઈ સ્થાનિકોમાં રાહત સર્જાઈ છે. જોકે વરસાદ ધોધમાર વરસવાને લઈ લાખણીમાં બજારોના માર્ગોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. બજારમાં અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા નથી.
લાખણીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ લાખણીના બજારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. કેટલીક દુકાનો ભોંયરામાં કે જમીન કરતા નીચાણ વાળા ભાગોમાં હોવાને લઈ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન કેળા ગામે વીજળી પડતા એક પશુનું મોત નિપજ્યાંના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો