Banas ડેરીએ દૂધના ફેટના ભાવમાં રૂપિયા 25નો વધારો કર્યો, સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે

પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. તેમજ વધતા દાણ અને ઘાસના ભાવ સામે પશુપાલકોના દૂધમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 25 નો વધારો કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:49 PM

બનાસ ડેરી(Banas Dairy)  સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની પશુપાલનના વ્યવસાય થકી આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આત્મનિર્ભર બને તે હેતુથી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા દૂધના(Milk)  ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25 નો ભાવ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય થી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે. સમગ્ર એશિયામાં બનાસડેરી દૂધ સંપાદનમાં અગ્ર સ્થાને છે. વિક્રમજનક દૂધની આવક હોવા છતાં પણ એક પણ દિવસ પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ નથી રાખ્યું. બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારાની(Price hike)  જાહેરાત પશુપાલકો માટે એક આનંદના વ્યાપ્યો છે. બનાસ ડેરીમાં દૂધના જુના ભાવ 680 રૂપિયા પ્રતિકીલો ફેટ હતા. જે વધારી 705 રૂપિયા પ્રતિકીલો ફેટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો તેમજ પશુદાણના મોંઘો થયા હતા.

જેથી પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. તેમજ વધતા દાણ અને ઘાસના ભાવ સામે પશુપાલકોના દૂધમાં પ્રતિકીલો ફેટે રૂપિયા 25 નો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War : ભરૂચના જંબુસરની રિયા પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓ રોમાનિયાથી ભારત આવવા રવાના

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

 

Follow Us:
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">