રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની બિસ્માર હાલત, વીરપુરથી જેતપુર સુધીના રોડ પર મસમોટા ખાડા

રાજકોટન પોરબંદર નેશનલ હાઈવે પર વીરપુરથી જેતપુર સુધીના રોડ પર મસમોટા ખાડા પડેલા છે. રસ્તાઓ એટલી હદે ખરાબ છએ કે અહીંથી પસાર થવુ એ કોઈ પડકારથી ઓછુ નથી. વારંવાર રોડની મરમ્મતની રજૂઆત કરવા છતા તંત્ર કોઈ ધ્યાન આપતુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 11:38 PM

દેશભરમાં સારા રોડની સુવિધા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ રાજકોટમાં જિલ્લામાં આવેલા બે ટોલપ્લાઝા ઉપર મોટી વસુલાત સામે સુવિધાના નામે મીંડુ છે. વાત છે જેતપુર અને વીરપુર વચ્ચે આવેલા ટોલનાકાની જ્યાં ટોલટેક્સ તો તોતીંગ રીતે વસુલાય છે, પરંતુ આ રસ્તાઓ પરથી પસાર થવુ રાહદારીઓ માટે પણ મોટા પડકારથી ઓછુ નથી.

રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેનો વીરપુર અને જેતપુર સુધીના રોડની પરિસ્થિતિ જોતા એવુ લાગે કે તમે કોઈ ગામડાના વર્ષો પહેલાના બનેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હોવ. કહેવાતો નેશનલ હાઈવે બિમાર અને બિસ્માર છે. રોડ પર ખાડાઓ છે કે ખાડામાં રોડ છે તે જ નક્કી કરવુ મુશ્કેલ છે. આ રોડ પર એક બે નહીં પરંતુ અસંખ્ય ખાડાઓ છે. જો મહામહેનતે કદાચ રોડ પસાર કરી લીધો તો આગળ આવતો જર્જરિત પૂલ કોઈ ચેલેન્જથી ઓછો નથી. આ પૂલ પરથી પસાર થવુ એટલે જીવ પડીકે બાંધીને નીકળવા સમાન છે.

રસ્તાઓની આવી ખસ્તા હાલત છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ઉઘરાવવામાં કોઈ બાંધછોડ હોતી નથી. અહીંથી પસાર થતા લોકોને કમર અને સાંધાના દુ:ખાવાની સમસ્યા થઈ જાય છે. એવુ નથી કે આ ખાડાઓ દૂર રસ્તા વચ્ચે પડ્યા છે. બરાબર ટોલ નાકા નજીક જ રોડ પર મસમોટા ખાડા પડેલા છે. વારંવાર આ સમસ્યાની તંત્રને રજૂઆત કરવા છતા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. સ્થાનિકોનો આરોપ છે તંત્રને માત્ર ટેક્સના પૈસામાં જ રસ છે સુવિધા આપવામાં નહીં. ત્યારે રોડ પરથી પસાર થતા રાહદારીઓ તંત્રને વિનંતિ કરી રહ્યા છે કે વહેલી તકે જર્જરિત પુલ અને રસ્તાની મરમ્મત કરવામાં આવે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">