Gujarat Election 2022: વઢવાણમાં ભાજપએ જીજ્ઞા પંડ્યાની ટિકિટ કાપતા બ્રહ્મ સમાજમાં રોષ, ભાજપને મત ન આપવાના લીધા શપથ

|

Nov 21, 2022 | 12:15 PM

સુરેન્દ્રનગરની (Surendranagar) વઢવાણ બેઠકપર ભાજપે પહેલા જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. જો કે બાદમાં ભાજપે તેમની ટિકિટ પરત ખેંચી લીધી હતી. હવે ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપી છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા દિવસ-રાત એક કરી રહ્યા છે. હવે મતદાનના દિવસને થોડા જ દિવસ બાકી છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં બ્રહ્મ સમાજે ભાજપ વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. ભાજપે જીજ્ઞા પંડ્યાને આપેલી ટિકિટ પરત ખેંચી લેતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.

સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપે પહેલા જીજ્ઞા પંડ્યાને ટિકિટ આપી હતી. જો કે બાદમાં ભાજપે તેમની ટિકિટ પરત ખેંચી લીધી હતી. હવે ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપી છે. જેને લઈ બ્રહ્મ સમાજમાં ભાજપ વિરૂદ્ધ નારાજગી જોવા મળી રહી છે. બ્રહ્મ સમાજે ભાજપ વિરૂદ્ધ બાંયો ચઢાવી છે. ગત રાત્રે એટલે 20 નવેમ્બરે બ્રહ્મ સમાજના યુવાનો સમાજની વાડીમાં એકઠા થયા હતા અને ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. એટલું જ નહીં બીજા લોકોને પણ ભાજપને મત ન આપવા સમજાવવાની વાત કરી હતી.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Video