આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

આ બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:43 PM

GANDHINAGAR : ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે ચર્ચા થઈ. સાથે જ પ્રમાણ પત્ર માટે 1 સપ્તાહમાં કમિટી બનાવવા નિર્ણય લેવાયો. સરકાર અને સમાજ બન્નેમાં કમિટીની રચના થશે અને આજની બેઠકમાં આવેલા સૂચનો પર ચર્ચા થશે. બેઠકમાં સાચા આદિવાસી કોણ આ અંગે કેટલાક સૂચનો સરકારે સ્વીકાર્યા છે. સાથે જ છેલ્લું નોટિફિકેશન રદ નહીં થાય તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. આ મુદ્દે TV9એ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે પણ કહ્યું કે, સાચા આદિવાસીને અન્યાય ન થાય તે માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે.

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ હાજર રહ્યાં હતા. આદિવાસીઓને આદિજાતિ પ્રમાણપત્ર અંગે અશ્વિન કોટવાલે રોષ ઠાલવતા કહ્યું હતું કે સરકારે આદિવાસીઓને આદિજાતિના દાખલા માટે 7/12 નો ઉતારો અને પેઢીનામું ફરજિયાત કર્યું છે, આના માટે સ્ટેમ્પ સહીતના ખર્ચા પણ થાય છે, જે આ ગરીબ આદિવાસીઓને પોસાય તેમ નથી. જે પહેલેથી સાચા આદિવાસી છે તેમને આ બધા પપ્રમાણો રજૂ કરવાની જરૂર શું કામ પડે.

કોણ સાચા આદિવાસી અને કોણ ખોટા એ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે સરકારના નવા આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલને આ અંગે ઘણું જ્ઞાન છે અને એમણે આ મુદ્દે ઘણો અભ્યાસ પણ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે નરેશ પટેલ પણ આ મુદ્દે સતત રજૂઆતો કરતા આવ્યાં છે. ધારાસભ્ય અશ્વિન કોટવાલે કહ્યું કે આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલે કહ્યું છે કે તેમના વિભાગના અધિકારીઓને આ અંગે કાર્યવાહી કરવા જણાવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

આ પણ વાંચો : નવસારી : બીલીમોરા નગરપાલિકામાં હદ વિસ્તરણનો વિવાદ વકર્યો, 6 ગામના લોકોના વિરોધ પ્રદર્શનો

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">