અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત- પક્ષપલટો કરનારાઓને આપ્યો આ જવાબ- Video

|

Mar 30, 2024 | 12:10 AM

અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. પાટીદારોનો ગઢ ગણાતી અમરેલી બેઠક પરથી આ વખતે કોંગ્રેસે જેની ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે ભરત સુતરીયાને ટિકિટ આપી છે. ત્યારે કેવી રહેશે ટક્કર અને કેટલો પડકાર આ તમામ મુદ્દે જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત

રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચૂકી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જીલ્લો રાજકીય ક્ષેત્ર એપિસેન્ટર છે. ત્યારે અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સામે કોંગ્રેસે મહિલા યુવા ચહેરો જેની ઠુંમરને રણમેદાને ઉતાર્યા છે. જેની ઠુંમરે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ત્યારે તેમણે TV9 સાથેની વાતચીતમાં કહ્યું કે. આ વખતની ચૂંટણીઓ કઈક અલગ છે અને ચોક્કાસ પરિવર્તન આવશે. પક્ષપલટુ નેતાઓ મુદ્દે કહ્યું. કોંગ્રેસ નથી તૂટતી, તે લોકોની શક્તિ ખૂટી રહી છે જેના કારણે પાર્ટી છોડી રહ્યા છે. પરંતુ મતદારોને કોઈ અસર નહીં થાય. ભાજપ 26 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે, પરંતુ 26 બેઠક પર જીતની બ્રેક અમરેલી લગાવશે.

Input Credit- Jaydev Kathi- Amreli

આ પણ વાંચો : ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગણાતા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ, શું કહ્યુ લાલબાપુએ- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video