ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી ભાજપના સભ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો. જૂનાગઢના કમલેશભાઈ ઠુમ્મર નામના દર્દીને કડવો અનુભવ થયો છે. મોતિયો ઉતરાવવા હોસ્પિટલમાં દાખલ થયા અને ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા યુવકે ઊંઘમાંથી ઉઠાડી મોબાઈલ નંબર લઈ OTP માગ્યો હતો. દર્દીએ હોસ્પિટલના સ્ટાફમાંથી હશે તેમ સમજી OTP આપ્યો તો ભાજપના સભ્ય બની ગયા હોવાનો મેસેજ મોબાઇલમાં આવ્યો. તે સમયે વોર્ડમાં 300થી વધારે દર્દીઓ દાખલ હોવાનું પણ જાણવા મળ્યુ છે. તમામને ઊંઘમાંથી ઉઠાડીને OTP માંગ્યાનો કમલેશ ઠુમ્મરનો આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
છેતરપિંડી દ્વારા ભાજપના સભ્યો બનાવવાના વાયરલ વીડિયો અંગે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે. 16 ઓક્ટોબરે જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં કેમ્પ હતો. મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દી સાથે સગા પણ આવ્યા હતા.
દાખલ તમામ દર્દીઓ જૂનાગઢના રહેવાસી હોવાનું જણાવ્યુ છે. મૂળ જૂનાગઢના દર્દીના સગાએ જ લોકોને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સદસ્યતા અભિયાન અંગે હોસ્પિટલના સ્ટાફને કંઈ જાણ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે.
ભાજપના સદસ્યતા અભિયાનમાં ગેરરીતિનો મામલો અંગે ગોરધન ઝડફિયાનું નિવેદન આપ્યુ છે. દર્દીઓને સદસ્ય બનાવવા અંગે ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પાંગળો બચાવ કર્યો છે. જબરદસ્તીથી અમે સભ્ય બનાવતા નથી તેવુ ઝડફિયાએ જણાવ્યુ છે. OTP આવે છે તે સ્વેચ્છાએ આપે પછી સભ્ય બને છે.
રેફરન્સ નંબર દ્વારા પ્રાથમિક સભ્ય બનાવવામાં આવે છે. ટાર્ગેટ જેવું નથી પણ જ્યાંથી આવા કિસ્સા સામે આવ્યા ત્યાંથી રિપોર્ટ મેળવ્યા છે. શિક્ષકો શું કામ સદસ્ય ના બને, વાલીઓ પણ કેમ સદસ્ય ના બને ? જેવા સવાલો ગોરધન ઝડફિયા કર્યાં હતા.