અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ, કરોડોનુ જમીન કૌંભાડ આચર્યું હોવાનો આક્ષેપ કરતા સામાજીક કાર્યકરે એવી માંગણી કરી છે કે, જગન્નાથ મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવો જોઈએ.
અમદાવાદ સ્થિત સામાજીક કાર્યકરે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓએ સામે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, જગન્નાથ મંદિરના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવેલ જમીન, મંદિરના વહીવટકર્તાઓએ બારોબાર મુસ્લિમને વેચી મારી છે. દોઢ લાખ ચોરસવાર જમીન 1992માં કાયમી ભાડા પટ્ટાએ આપી હતી. જે પૈકી અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બરોબર મફતના ભાવે યાસીન ગણીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમ પેટા ભાડે આપી દેવામાં આવી છે.
અમદાવાદના જગન્નાથ મંદિરના કથિત કરોડો રૂપિયાના કૌંભાડને જોતા, જમીન અંગે કરાયેલ ફરિયાદોની તટસ્થ તપાસ અર્થે SITની રચના કરવી જોઈએ અને તેના દ્વારા તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરને દાનમાં મળેલ જમીન મૂળ માલિકીના નામે પરત કરવી જોઈએ. જગન્નાથ મંદિરનો સમગ્ર વહીવટ સરકાર હસ્તક લેઈ લેવો જોઈએ. જમીન કૌંભાડમાં સંડોવાયેલા સામે દાખલો બેસે તેવી કાનુની કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.
આ સમગ્ર કૌંભાડ અંગે જ્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ન્યાય માટે પડતર છે. તેથી આ મુદ્દે તેઓ વધુ કાંઈ કહી શકે તેમ નથી.
Published On - 3:02 pm, Wed, 8 April 26