સાણંદમાં કમકમાટીભરી ઘટના, માતા સહિત બે બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ
સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.
ગુજરાતમાં ઉત્તરાયણ(Uttarayan) પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ(Ahmedabad) જિલ્લાના સાણંદમાં(Sanand) એક દુખદ ઘટના સામે આવી છે. જેમાં સાણંદના મોરૈયા ગામે તળાવમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ સમગ્ર દુર્ઘટનામાં માતા અને બે બાળકો ડૂબ્યા હતા. તેમજ તેમના પાણીમાં ડૂબી જવાથી અવસાન થયું છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ એક બાળક પતંગ પકડવા જતાં તળાવમાં ડૂબી રહ્યું હતું. જ્યારે આ બાળકને ડૂબતો જોતાં તેને બચાવવા માટે બીજો બાળક અને તેની માતા પણ તેમને બચાવવા માટે તળાવમાં પડ્યા હતા. જો કે આ બંને પણ પ્રથમ બાળકને બચાવી શકયા ન હતા.
જો કે કમનસીબે ત્રણે લોકોના તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયા છે.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે આઅ મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો : Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો
આ પણ વાંચો : Chhota Udepur: પાવી જેતપુરમાં એક સાથે 13 લોકો કોરોના પોઝિટીવ, બેંકના 4 કર્મચારી પણ સામેલ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
