Ahmedabad : અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનનો રોડ શો યોજાયો, કેજરીવાલના સમર્થનમાં નારેબાજી
આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં જીત બાદ ગુજરાતમાં પણ ઇલેકશન જીતવા માટે ક્વાયત હાથ ધરી છે. અમદાવાદમાં કેજરીવાલનો રોડ શો યોજાયો. હતો. તો આ સાથે કેજરીવાલના સમર્થનની અસર મુસ્લિમ વિસ્તારોમાં પણ જોવા મળી છે. જ્યાં ઘણા લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નિકળ્યા હતા અને કેજરીવાલના સમર્થનમાં નારેબાજી કરી હતી.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને(Gujarat Assembly Election) લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં અમદાવાદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) રોડ શોને (Road Show)લઇ રાજકારણ ગરમાયું છે. આ રોડ શોને લઇ ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી ગયા. જેના ભાગરૂપે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને આજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં જીત બાદ ગુજરાતમાં પણ ઇલેકશન જીતવા માટે ક્વાયત હાથ ધરી છે. અમદાવાદમાં કેજરીવાલનો રોડ શો યોજાયો. હતો. તો આ સાથે કેજરીવાલના સમર્થનની અસર મુસ્લિમ વિસ્તારોમાં પણ જોવા મળી છે. જ્યાં ઘણા લોકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર નિકળ્યા હતા અને કેજરીવાલના સમર્થનમાં નારેબાજી કરી હતી.
જો કે આ દરમ્યાન રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાત રાજ્ય દરેક મહેમાનને આવકારે છે.પ્રવાસીઓ ગુજરાત આવે અને જાય.એક મોટા શહેરના મેયર ગુજરાત આવ્યાં છે.ગુજરાતની પ્રજા ત્રીજા પક્ષને કોઇ સ્થાન નહીં આપે તો બીજી તરફ વાઘાણીને આપ નેતા ઇસુદાન ગઢવીએ જવાબ આપ્યો અને વાઘાણીના નિવેદનને નિમ્ન કક્ષાનું ગણાવ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad : પૈસા પડાવવા એલઆરડી જવાન જ બન્યો ગુનેગાર, વાહન ચાલકનું અપહરણ કરી ATM માંથી 30 હજાર પડાવ્યા
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
