Ahmedabad: તહેવારોને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક

તહેવારોને પગલે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સતર્ક બની છે. રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 1:48 PM

આજે અક્ષય તૃતિયા (Akshay Tritiya) અને ઇદ (Eid)નો પર્વ એકસાથે દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ પરશુરામ જયંતીની પણ ઉજવણી થઇ રહી છે. એક સાથે આ તમામ ઉજવણી થઇ રહી હોવાથી અમદાવાદમાં (Ahmedabad) કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ (Police alert) મોડ પર છે. શહેરના ખુણે ખુણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારો મનાવી શકે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તહેવારોને પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. તો ડ્રોન દ્વારા શહેરના ખુણા ખુણામાં સુરક્ષા ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં શહેરના શાહપુર અને કારંજ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યુ.

ઈદ અને પશુરામ જયંતી આ બંને તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે. તહેવારને લઈને અમદાવાદમાં 5 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત છે અને કોઈ અઘટિત ઘટના ન બને તેના પર વોચ રાખી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં 5 JCP, 10 DCP, 18 ACP, 60 PI, સહિત 300 PSI અને 5000 જેટલા પોલીસ જવાનોની સાથે 700 જેટલી મહિલા પોલીસ પણ તહેનાત છે. સાથે જ SRPની કંપની પણ પોલીસની સાથે બંદોબસ્તમાં છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ખાસ વોચ છે, જેમાં ડ્રોન મારફતે નાની નાની શેરીઓથી લઈને ધાર્મિક સ્થળોની આસપાસ બાજ નજર રાખવામાં આવી રહી છે.

પોલીસ કમિશનરે કહ્યું કે કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. મૌખિક અફવા પર પણ પોલીસના બાતમીદારો વોચ રાખી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">